આગામી કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં ડિરેક્ટરશ્રીઓ અને વેપારીમિત્રો ની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ. ૧૦ મી તારીખ થી તાલાલા માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ થશે.
વિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા માટે ગુજરાત સરકાર ના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ને જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે મળી ને પત્ર દ્વારા રજુઆત કરેલ છે. મને આશા છે કે ખૂબ જલ્દીથી બળી ગયેલ ટ્રાન્સફોર્મર બદલી જશે.
વિશ્વવ્યાપી #Covid_19 સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે શેરિયાજ ગામ ના ભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન આપેલ છે.